September 01, 2011

પડોશીધર્મ...થી..રાષ્ટ્રધર્મ....સુધી

भारतमाता की जय..................

   देश हमारा....
            सब से न्यारा..
प्यारा हिन्दुस्तान..  .    

આઝાદીના ૬૪ વર્ષ...રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી......દેશ પ્રત્યેનો અહોભાવ દર્શાવવા માટેનો અને આપણી સ્વતંત્રતા માટે કમર કસનારા તેમજ દેશપ્રેમમાં તન-મન –ધન ન્યોછાવર કરી આપણને એક સ્વતંત્ર ભારતની ભૂમિ અર્પણ કરવા બદલ આપણા સ્વાતંત્ર-સેનાનીઓનો આભાર માની તેમના જીવન-ચરિત્રમાંથી દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા મેળવવાનો દિવસ એટલે જ
 “આઝાદ દિન”
આપણી ખૂબ અને ખૂબ જ સારી બાબત એ છે કે આપણો રાષ્ટ્રધર્મ[રાષ્ટ્રપ્રેમ] બહુ જ સમૃદ્ધ છે,,,,,
ક્રિકેટ હોય કે કારગિલ.................
   ભૂકંપ હોય કે ભ્રષ્ટાચાર...................
   .  લોકપાલ.... હોય કે  જનલોકપાલ...........
         આવી તમામ બાબતો કે જ્યાં આપણા રાષ્ટ્રને ફાયદો થતો  હોય ત્યાં સમર્થનમાં અને આપણા રાષ્ટ્રને નુકશાનની ભીતી હોય ત્યાં વિરોધ માટે આપણા સૌનો સૂર એક હોય છે, આપણે સૌ તેના માટે હાથમાં હાથ  મિલાવીને એક સાથે પ્રયત્નશીલ બનીએ છીએ........તેનું એક જ કારણ છે કે આપણા શિક્ષણમાં બાળપણથી રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ વગેરે નામે “રાષ્ટ્રધર્મ” ના ગુણનો વિકાસ માટે બહુ જ ભાર મુકવામાં આવ્યો છે. પરિણામે જ આપણામાં અખૂટ  રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ- રાષ્ટ્રધર્મનો સ્ત્રોત પ્રગટ્યો છે.....પરંતુ જયારે વાત કારગિલની છોડી કોમની આવે ત્યારે.......ત્યારે રાષ્ટ્રના સમર્થનમાં સાથે-સાથે ઉભા રહેનાર આપણે કોમની વાત થતા જ કેટલીક વાર સામ-સામે આવી જઈએ છીએ અને  જે હાથમાં-હાથ મિલાવી રાષ્ટ્રનું સમર્થન કર્યું હતું તે  જ હાથ એકબીજાને મારવા તલપાપડ બને છે...અને .તે જ હાથ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન કરવા માટે ઉઠે છે...અને આપણો રાષ્ટ્રધર્મ તે સમયે ખોખલો સાબિત થાય છે......વાત જયારે કારગિલની  છોડી ઘર આગળ પડેલા કચરાની આવે.........ત્યારે...........ત્યારે પણ દરરોજ સાથે બેસનારા સામસામે આવી જાય છે,વર્ષોની મિત્રતા પળમાં તૂટી પળનો મતભેદ જાણે વર્ષોની દુશ્મની હોય તેવો ભાસ કરાવે છે..અને ત્યારે પણ રાષ્ટ્રધર્મ...માનવધર્મ...વગેરે હવામાં છૂમંતર થઇ જાય છે...
                             પ્રમાણિક અને મજબૂત નાગરિકતા એક ત્રીપાઈ જેવી છે.. .રાષ્ટ્રધર્મ..... માનવધર્મ...... અને પડોશીધર્મ..... આ   ત્રણ પાયાઓ જ્યાં સુધી મજબૂત નહિ હોય ત્યાં સુધી આપણે અડગ અને સાચા દેશપ્રેમી નાગરિક નહિ બની શકીશુ..કેમ કે ત્રણમાંથી એક પણ પાયો નબળો હોય તેવી ત્રીપાઈ પર આપણે ઉભા રહીએ તો આપણે કેટલા હાલક-ડોલક થઈએ છીએ તે જાણ્યા પછી આપણા રાષ્ટ્રનો વિચાર કરશો તો કદાચ આપણને સાચી હકીકત સમજ પડશે......
આપણે આ ત્રીપાઈના ત્રણ પાયાને સમાન મજબૂત કરવા માટેનો પ્રયત્ન પ્રાથમિક કક્ષાએથી જ શરૂ કરી દેવો પડશે, આપણે જેટલો બાળ-માનસમાં રાષ્ટ્રભક્તિની ભાવના પેદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલો પ્રયત્ન આપણે “માનવધર્મ” અને “પડોશીધર્મ” માટે નથી કરતા અથવા તો તેટલો ભાર-પૂર્વક નથી કરતા, પરિણામે બાળક દેશ પ્રત્યેની પોતાની ફરજો સમજે છે પણ વાત જયારે પણ પોતાની સાથે ભણતા બાળકો પ્રત્યેની પોતાની ફરજો ...પોતાની બાજુમાં રહેતા  પડોશી પ્રત્યેની પોતાની શું ફરજો છે......વગેરેથી અજાણ બાળક જયારે નાગરિક બને છે ત્યારે ફક્ત અને ફક્ત રાષ્ટ્રધર્મ બજાવી પોતાને સાચો નાગરિક હોવાનો સંતોષ માને છે.....અને જ્યાં રાષ્ટ્રથી નીચેની જયારે વાત આવે છે ત્યારે પોતે ફક્ત પોતાની બાજુ જ જૂએ છે અથવા તો પોતાને હોંશિયામાં મૂકી દે છે..
આપણે આપણા રાષ્ટ્રને જો વિકાસશીલ અને મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો તે માટે આપણે રાષ્ટ્રધર્મની જેમ  પડોશીધર્મ...  માનવધર્મ....પ્રત્યે પણ પોતાની ફરજ વિશે પૂરેપૂરી જાગૃતતા ધરાવતા નાગરિકો પેદા કરવા પડશે, અને તે માટે પ્રાથમિક કક્ષાએથી જ આપણે બાળકમાં જેટલો રાષ્ટ્રધર્મ ઉપર ભાર મૂકીએ છીએ તેટલો જ ભાર “પડોશીધર્મ” અને “માનવધર્મ” ઉપર પણ મુકવો જ પડશે........
આવો...આ વિશે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ સ્વતંત્રતા-દિન ની ઉજવણીની ઝાંખી કરીએ.............
દેશભક્તિ ગીત વડે ગ્રામજનોનું અભિવાદન કરતાં બાળકો 
બાળકોને દેશભક્તિ ગીતનું ગાન કરાવતી હાઇસ્કૂલ ની બાળાઓ 
.............મોં મીઠું કરતા ગ્રામજનો............
.......મોં મીઠું કરતા હાઇસ્કૂલના બાળકો..................
............મોં મીઠું કરતા બાળકો .........................
..........................મીઠાઈ લેતા બાળકો..................
 અમારી શાળાના ૧૫મી ઓગષ્ટના "આજના દિપકો "

"દિપકો" એટલા માટે કે મજાની વાત એ છે કે ઉપરોક્ત અમારી દીકરી મનીષા નાયકની સાથે-સાથે તેને અભિનંદન કાર્ડ આપનાર અમારા આ શિક્ષકમિત્ર ચંદુભાઈનો પણ જન્મદિન પણ ૧૫મી ઓગષ્ટ જ છે...

No comments: