May 02, 2013

વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....



વિદ્યાર્થીઓની કાંધે “વિદ્યા”ની અર્થી....


વિદ્યાર્થી પક્ષે પરીક્ષા પૂરી થાય અને શિક્ષકોની પરીક્ષા શરૂ થઇ જાય છે.
  Ø કોઈકે તૈયાર કરેલા પ્રશ્નોપત્રોમાં મારા વિદ્યાર્થીઓ શું સમજ્યા છે તે ચકાસવું? 
કે પછી..
 Ø મેં આપેલા અધ્યયન અનુભવો બરાબર હતા કે સુધારાની જરૂર છે તે ચકાસવું ?
                         એવી અવઢવ વચ્ચે જ પરિણામપત્રક બની જાય છે – અને વિદ્યાર્થીને લેબલ લાગી જાય છે. ખરેખર તો આપણે નિદાન કરવાની ક્રિયાને ઉપચાર સમજી બેઠા છીએ.એક પરિસ્થિતિને આધારે આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ.                તમે ડોકટર પાસે જાઓ છો. તે તમારી સાથે વાતચીત કરે છે. સ્ટેથોસ્કોપ અને થર્મોમીટર વગેરે વડે તમારા શરીરને ચકાસે છે. બ્લડ ટેસ્ટ કરાવે છે....પછી તમને કહે છે, “જુઓ તમને ડેન્ગ્યું થયો છે, જે ગંભીર છે.” અને પછી કોઈ દવા સૂચવ્યા વગર કહે છે, “ચાલો, ત્યારે આવજો !!” શું આવું બને છે ? કોઈ ડોકટર તમને તમારી બીમારી માત્રનું નામ કહી તમને આવજો કહી દે તો તમે શું કરો ?
                             આપણે આપણી પરીક્ષાઓ વડે કૈક આવું જ કરી રહ્યા છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે પ્રાથમિક શાળામાં લીધેલી કસોટી એ વિદ્યાર્થીની સિદ્ધિ ચકાસવાની કસોટી નથી. આપણે કયો વિદ્યાર્થી સારો -કયો નબળો - એ ચકાસવાનું કામ નથી કરવાનું ! આપણા માટે તો વિદ્યાર્થીએ આપેલ આ  ટેસ્ટ એ નિદાનના તારણ સુધી પહોચાવાનું સાધન છે. હવે, જયારે સમજાય કે ક્યા વિદ્યાર્થીને કયા પ્રકારની મુશ્કેલી છે – પછી તેમને તે મુશ્કેલીનું લેબલ ચિપકાવી બીજા પાસે મોકલી દેવા એ એક બાબત છે અને તેની વિગતોને નોધી અને અન્ય શિક્ષકને રીફર (!) કરવા એ બીજી !
                 ઉત્તમ રસ્તો તો એ છે કે જેમ ડોકટર આપણી શારીરિક મુશ્કેલીને અનુરૂપ ઈલાજ કરે છે તેમ આપણે પણ વર્ગની – વિદ્યાર્થીઓની સમસ્યાઓને અનુરૂપ ઈલાજ શોધીએ !નહીતર વિદ્યાર્થીઓને કાંધે જ વિદ્યાની અર્થી ઉઠી જશે !
મુલ્યાંકન પ્રક્રિયા અંગેના તમારા અનુભવો અમારી સાથે વહેચશો તો ગમશે.


No comments: