August 31, 2016

બાળકોની તંદુરસ્તી અને શાળા !!


બાળકોની તંદુરસ્તી અને શાળા !!
  મિત્રો, તંદુરસ્તીની બાબતમાં તન અને મન એકબીજાનાં પૂરક છે ! “તન તંદુરસ્ત તો મન પણ તંદુરસ્ત”  બીમારીમાં ડોકટરની સલાહ હોય છે કે – ક્યાંક બહાર ખુલ્લામાં હરોફરો તો મન બહેલશે, અને મન તંદુરસ્તી અનુભવશે તો તેની અસરથી તન પણ સુધરશે જ !! શાળામાં કેટલાંક બાળકો પાછળની શૈક્ષણિક મહેનત પછી કેટલીકવાર આપણને પૂરું પરિણામ મળતું નથી હોતું – ત્યારે બાળકના પૂરક વાલી તરીકે આપણે તેની તન-દુરસ્તીનું ધ્યાન પણ લેવું જરૂરી છે. આરોગ્ય વિભાગની આયર્નની ગોળીઓ થી માંડી કૃમિની ગોળીઓ જેવી સામુહિક કવાયત ધ્વારા બાળકોમાં ખૂટતાં તત્વોનું પ્રમાણ વધશે અને કૃમીઓના નિકાલ ધ્વારા બાળકોની આંતરિક એનર્જીને વેસ્ટ થતી બચાવશે જ – જેનો સીધો ફાયદો આપણી તે બાળક પાછળની શૈક્ષણિક મહેનતમાં થશે જ ! જેમ કે બાળકનું શીખેલું ભૂલી જવું – સાંભળેલું કે વાંચેલું જલ્દીથી ન સમજી શકવું – નબળી નિર્ણય શક્તિ – આત્મવિશ્વાસનો અભાવ – વાંચવામાં લખવામાં થતી મુશ્કેલીઓ – આ તમામ બાળકોની પ્રગતીમાં અવરોધ બનતાં કારણોમાં બાળકનો જરા પણ વાંક નથી હોતો – તેનો સીધો સબંધ શારીરિક ધ્વારા માનસિક તંદુરસ્તી સાથે  જોડાયેલ હોય છે અને તેની અસરો બાળકના તેના વર્ગકાર્ય પર જ થતી હોય છે, પરોક્ષપણે આપણી બાળક પાછળની મહેનતનું પરિણામ અપેક્ષાઓ મુજબનું નથી મળતું – આમ, બાળકના સ્વાસ્થ્ય પાછળની આપણી તકેદારી  ફક્ત બાળકને જ તંદુરસ્ત નથી કરતી તે આપણા વર્ગખંડોના શૈક્ષણિક મહેનતના પરિણામને પણ તંદુરસ્ત કરે છે ! તે માટે ફક્ત જરૂર છે બાળકના પુરક વાલી તરીકેની તકેદારીનું એક ડગલું ભરવાની ! પછી તો રસ્તાઓ એની જાતે જ મળતાં જશે !!!  

2 comments:

Unknown said...

ઉમદા વિચાર

Unknown said...

ઉમદા વિચાર