April 01, 2011

પરીક્ષાને તમે કેવી નજરથી જુઓ છો??



પરીક્ષાને તમે કેવી નજરથી જુઓ છો??



     એપ્રિલ માસ એટલે પરીક્ષાનો માહોલ !! જેની તૈયારી માટે તો આપણે અને આપના બાળકો કમર કસવા લાગી ગયા છીએ,પણ ધીમે-ધીમે પ્રાથમિક શાળાના બાળકો માટે એક anty-exAMMM. વાતાવરણ શિક્ષણ જગતમાં છવાતું જાય છે, ઘણા બાળ-માનસ શાસ્ત્રીઓ અને પ્રાથમિક શિક્ષણ શાસ્ત્રીઓ પણ પરીક્ષાને અનિષ્ટ માની ૬ થી ૧૪ વર્ષની કુમળી વય ઉપર પરીક્ષા રૂપી ઘા ન કરવાની તરફેણ કરી રહ્યા છે. મોટાભાગનાનું માનવું છે કે પ્રાથમિક ક્ક્ષાએ પરીક્ષા જેવું કઈ હોવું જ ન જોઈએ.કારણ કે ૩૦ બાળકોના વર્ગખંડની પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબરનો આનંદ અનુભવનાર  એક જયારે હતાશા અનુભવનાર ૨૯ બાળકો હોય છે.છેવટે બાળકો શિક્ષણ પ્રત્યે હતોત્સાહિત બની જાય છે. પણ ક્યારે અમને એમ થાય છે આટલા વર્ષોથી અને તે સમયના શિક્ષણશાસ્ત્રીઓએ પ્રાથમિક શિક્ષણ જગતમાં પરીક્ષા દાખલ કરતા સમયે કંઇક તો વિચાર કર્યો જ હશેને !! કદાચ બની શકે છે કે પરીક્ષા દાખલ કર્યાથી આજદિન સુધીના સમય ગાળામાં કદાચ તે સમયે જે તર્કથી પરીક્ષા દાખલ કરેલ હોય તે તર્ક પછીના  આજના તર્ક વચ્ચેના સમયગાળામાં કોઈ દુષણ ઘર કરી ગયું હોય. મારો પહેલો પ્રશ્નએ છે કે “ બાળકોની વાત છોડો,જો પ્રાથમિક કક્ષાએ પરીક્ષા ન હોય તો શિક્ષકશ્રીએ તે બાળકને જે તે વર્ષ દરમ્યાન કેટલું શિક્ષણ કે માર્ગદશન આપ્યું છે તે માટેનો માપદંડ કેવી રીતે મેળવી શકીશું??[શિક્ષકમિત્રએ પૂરેપૂરી ફરજ નિભાવી છે કે તે માટેનો માપદંડ] કદાચ જો તમે એમ કહો કે પરીક્ષા ભલે પણ પરિણામ બાળકોને જાણ ન કરવી!! તો પછી કોઈ કારણસર ૩૫% કરતા ઓછા માર્ક્સ એટલે કે કોઈ કારણસર કોઈ વિષયમાં વધુ પડતો નબળો દેખાવ કરનાર બાળકની શૈક્ષણિક સારવાર માટેનો સમય કયો??[ કારણ કે ધોરણ-૮ સુધી પરીક્ષા નહી તો નાપાસ પણ નહી]
Ø  હવે તમને કહીએ અમારો પરીક્ષા વિશેનો તર્ક
કદાચ બની શકે છે કે પહેલાના શિક્ષણશાસ્ત્રીઓએ જે નજરથી  શિક્ષણમાં પરીક્ષા દાખલ કરી હોય તે દ્રષ્ટિકોણ  ધીમે-ધીમે સમય જતા બદલાઈ ગયો હોય???
દા.તરીકે તમારો પોતાના બાળક તેણે આપેલ પરીક્ષાનું પરિણામ પત્રક લઈને તમારી પાસે આવે છે, તેના માર્ક્સ જોઈ તમારૂ વાક્ય શું હશે?? કે મારા બાળકે પરીક્ષામાં ૭૦% આવ્યા,એટલે કે મારો બાળક ફલાણા વિષયમાં ૭૦% આવડ્યું/શીખ્યો. હવે આ બાળકના ૭૦% સાચા ત્યારે જ કહેવાય જ્યારે તે બાળકને તેના વિષય શિક્ષકશ્રીએ જે તે વિષયનું ૧૦૦% માર્ગદર્શન આપ્યું હોય. પણ જો તે બાળકના તે વિષય શિક્ષકશ્રીએ તે વિષયનું ૭૦% જ માર્ગદર્શન આપ્યું હોય તો ??? તો ખરેખર તે બાળકના માર્ક્સ કેટલા ગણાય???
હા, ખરેખર પરીક્ષા બાળક માટે નથી હોતી, પરીક્ષા હોય છે તેને માર્ગદર્શન/શિક્ષણ આપવા માટે રોકેલ વેતનદાર વ્યવસાયકારો માટે! એટલે કે જે તે વિષય શિક્ષકો માટે.
 હવે વાત નંબર-૨ તમારો પોતાના બાળકે  તેણે આપેલ પરીક્ષાનું પરિણામ પત્રક લઈને તમારી પાસે આવે છે, તેના માર્ક્સ જોઈ તમારૂ વાક્ય શું હશે?? કે મારા બાળકને ફલાણા વિષયની પરીક્ષામાં ૭૦% આવ્યા,એટલે કે મારા બાળકને  ફલાણા વિષયમાં ૭૦% આવડ્યું/શીખ્યો,આપણે આપણા બાળકના પરિણામને આ નજરથી જોઈએ છીએહવે પરીક્ષા દાખલ કરનાર તે સમયના શિક્ષણશાસ્ત્રીઓ આ બાબતને કદાચ અગલ નજરથી જોતા હોય કે તમારા બાળકને જે તે વિષયમાં ૭૦% જ આવડ્યું છે તેમ નહી પણ  તે વિષયના શિક્ષકશ્રી તમારા બાળકને જે તે વિષયમાં ૭૦% જ શીખી શકાય તેવું વાતાવરણ સર્જી શક્યા છે. હવે તમે જ કહો આ પરિણામ પત્રક  કોનું કહેવાય ?? તમારા બાળકનું કે તેના વિષય શિક્ષકશ્રીનું?? પરીક્ષા કોની થઇ કહેવાય??
જો આમ જોઈએ તો પરીક્ષા બાળકોની નહી પણ તેના શિક્ષકોની હોય છે, અને જે તે શાળાના બાળકોના પરિણામ પરથી જે તે શાળાના શિક્ષકશ્રીઓએ ખરેખર પ્રમાણિકતા પૂર્વક કરેલ મહેનતનો અંદાજ લગાવી શકાય છે.

હવે તમે જાતે નિર્ણય કરો કે શું પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ જરૂરી છે???

જો “હા” તો પરિણામ બાદ હતાશા અનુભવનાર બાળકોનું શું? અને કદાચ પરીક્ષા બાદ જો પરિણામ બાળકોમાં જાહેર ન કરીએ તો જે તે વિષયમાં નાપાસ અથવા નબળા બાળકોનું શું?
અને
જો “ના” તો પછી શિક્ષકમિત્રોએ વર્ષ દરમ્યાન બાળકો પાછળ કેટલી મહેનત કરી છે ,તે  માપવા માટેનું અન્ય કોઈ માપદંડ તમારા ધ્યાનમાં છે?
*******************************************************************************************************

ï જરા,તમારી શાળામાં નિરીક્ષણ તો કરજો !!!!

દરરોજ આનંદિત અને હળવાશ ભર્યા રહેતા આપણી શાળાના વાતાવરણને પરીક્ષાઓના દિવસો પહેલા અને પરીક્ષાઓના સમય દરમ્યાન કોણ ગંભીર અને સ્ટ્રેસભર્યું બનાવી દે છે???


વાલીઓ....... બાળકો.... કે પછી.....શિક્ષકો 


[કોમેન્ટમાં ચોક્કસ લખજો]  

2 comments:

Unknown said...
This comment has been removed by the author.
Unknown said...

Obviously you all are doing great work.. I wish i would have been taught by teachers like you. I am science student and i used to gaining knowledge as much as i can . I don't wanna be like parrot i know value of knowledge but i have to be like parrot due to this education system.. As my experience till collage
. Some contribution of this circumstances which is created goes towards this education system not only parents and teachers.. Don't you think so??