September 01, 2017


“ શિક્ષણ” એટલે ફકત માહિતી નહિ, મુલ્યો પણ !!!
       શિક્ષણ એક પ્રક્રિયાનું છે. પાઠ્યપુસ્તક અને અભ્યાસક્રમ એ તમામ માર્ગદર્શિકા રૂપી બુકલેટ છે –આ પ્રક્રિયાનું કામ ફકતને ફક્ત શિક્ષિત નાગરિક પેદા કરવાનું નહિ પણ સમાજોપયોગી નાગરિક રાષ્ટ્રને આપવાનું કામ પણ છે. ક્યારેક કેટલાંક લોકો શિક્ષિત નાગરિક અને સમાજોપયોગી નાગરિક વચ્ચેની ભેદરેખા સમજી શકતા નથી અને ચીલાચાલુ બીબા ઢાળ પોતાની ખુદની પ્રક્રિયા વડે ફકતને ફક્ત બાળકોની સામે માહિતીઓનો જ ઢગ કર્યાને શિક્ષણ કાર્ય સમજ્યા કરે છે. પરિણામ એ આવે છે કે બાળકોમાં દુર્યોધન વાળી વાત થાય છે “जानामि धर्म न च में प्रवृति !” પરિણામે બાળકોને જંગલોનું મહત્વ અંતર્ગત ચીલાચાલુ રીતે સમજાવ્યા પછી પણ તરતની રીશેષમાં શાળા-બગીચાના છોડની ની ટોચ મરડતો દેખાય છે, “મારી શાળા” નિબંધ લખ્યા પછી પણ રજાના બીજા દિવસે પાણીની પરબના નળ તૂટેલા જોવા મળે છે. બાળક વ્યક્તિ વિશેષની જન્મતિથી - પુણ્યતિથિ જાણતો હોય છે, પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં સમાયેલાં મૂલ્યોથી અજાણ !! સમાજ હોય કે સંપ્રદાય, ગામ હોય કે રાષ્ટ્ર – તેના વિકાસ માત્ર માહિતી ધરાવતા વ્યક્તિઓથી નહિ પણ મુલ્યવાન વ્યક્તિ વડે જ શક્ય છે !  આજના ટેકનીકલ યુગની જો વાત કરીએ તો જો ફકતને ફક્ત માહિતી પૂરી પાડવી એટલા જ કામને શિક્ષણ કાર્યની વ્યાખ્યામાં ગણવામાં આવતું હોત તો તેના માટે બુનિયાદી શિક્ષણ સાથે  બાળ મનોવિજ્ઞાન ભણીને જ શિક્ષક બનવું અનિવાર્ય ન હોત !  ફકતને ફક્ત માહિતી સભર હોવું એટલું જ આદર્શ શિક્ષકની વ્યાખ્યામાં આવવા માટે પુરતું નથી, તેને કેવી રીતે બાળકોમાં સરળતાથી સંપૂર્ણપણે તેના હાર્દ સાથે પ્રસ્થાપિત કરવું તે પણ એટલું જ મહત્વનું છે. આજે દુનિયામાં સૌથી વધુ માહિતી સભર કોઈ હોય ગૂગલ છે, પણ તે શિક્ષક ની વ્યાખ્યામાં એટલા માટે જ નથી આવતું , કારણ કે તે ફક્તને ફક્ત માહિતી પીરસી શકે છે. જે તે એકમ અથવા વિષયવસ્તુ માટે વ્યક્તિગત બાળકની સમજ મુજબની માહિતી સાથેની સમજ આપવાનું કામ તો એક શિક્ષક જ કરી શકે છે. તે માહિતીમાં રહેલા હાર્દને એક શિક્ષક જ પ્રસ્થાપિત કરી બાળકમાં મૂલ્યનું ઘડતર કરવાનું કામ પણ એક શિક્ષકનું જ છે. વિચારો કે એક સામાન્ય કારીગર પણ કોઈ અજાણી મશીનરીને છેડતાં [ખોલતાં] પહેલાં તેનો અભ્યાસ કરી લેતો હોય છે ત્યારે આપણે સૌએ તો જિંદગી પર્યત બાળમાનસ રૂપી મશીનરીમાં મુલ્યોને પ્રસ્થાપિત કરવાનું કામ છે, બાળ માનસને સમજ્યા વિના તેનામાં ચોક એન્ડ ટોક વાળી એક તરફી ઢબ વડે તેનામાં મૂલ્યોને પ્રસ્થાપિત કરવા શક્ય જ નથી. મિત્રો મુલ્યો પ્રસ્થાપિત થયા વિનાનું શિક્ષણ એ કોઇપણ જાતના વિટામીન વિનાના ભોજન જેવું છે – ધરાવો અને ઓડકાર આવે ! પણ ફલસ્વરૂપ? માટે જ અમે અગાઉ પણ કહ્યું છે તેમ – “વ્યક્તિ નહિ વ્યક્તિત્વ નીરખાવીએ”

1 comment:

Unknown said...

Nice work... Live education..